વામજ માહીતી

અમદાવાદથી આશરે 35 કિ.મી. અને કલોલથી 6 કિ.મી. દૂર વામજ  ગામ છે. શેરીસા તીર્થથી 10 કિ.મી.ના અંતરે આવેલું આ વામજ તીર્થ શેરીસાના જોડીયા તીર્થ તરીકે પ્રસિદ્ઘ છે. તેથી શેરીસા-વામજ આ તીર્થ એવો વ્યવહાર ૫ણ થાય છે. આ તીર્થમાં મૂળનાયક પૂ. પરમાત્મા શ્રી આદીશ્વર ભગવાન છે. આ પ્રતિમાજી પ્રાચીન છે. ગામમાં ત્રિભોવન કણબીના ઘર પાસે ખોદતાં સંવત 1979ના માગસર વદિ 5ને શનિવારે પ્રતિમાજી નીકળ્યા હતાં. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના વખતનું હોવાનું મનાય છે. આ સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઇન્દ્રણી દેવીની મૂર્તિ, બે ખંડિત ઇન્દ્રની મૂર્તિ પણ મળી આવી હતી. કહેવાય છે કે, પૂર્વે અહીં ભવ્ય જિનાલય હતું, તે જિનાલયની અંદર ભોયરું હતું તેનો સંબંધ શેરીસા તીર્થ સાથે હતો, પરંતુ મોગલોના આક્રમણને કારણે અન્ય તીર્થનો વિનાશ થયો તેવી રીતે આ તીર્થનો પણ વિનાશ થયો અને બઘું જ અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. પૂર્વના જિનાલયનાં કેટલાક અંશો જેવા કે પરિકર તથા મૂર્તિના ભાગો વામજનાં જ એક મંદિરમાં મૌજુદ છે.

વિ.સંવત 1996(ઇસ્વીસન્ 1940) વામજ ગામમાં શેઠ શ્રી ડાહ્યાભાઇ કપુરચંદ ઝવેરીએ નવું દેરાસર નિર્માણ કરાવવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવ્યો હતો. નૂતન જિનાલયમાં વિ. સંવત 2002(ઇસ્વીસન્ 1946)માં વૈશાખ વદિ 13ને દિવસે શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ સાહેબનાં શિષ્યરત્ન શ્રી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ સાહેબના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તીર્થ શેરીસાથી તથા કલોલથી 6 કિ.મી.ના અંતરે આવેલું છે.

સરનામું : – શેઠ આણંદજી કલ્યાણજી, વામજ પીન – 382 721 (વાયા કલોલ)

સંપર્ક : – શેઠ આણંદજી કલ્યાણજી, મુ.પો. શેરીસા – 382 721 જિ. ગાંધીનગર

ફોન નં. 02764-250126

વર્ષગાંઠ

આ તીર્થની વર્ષગાંઠ વૈશાખ વદિ 13ના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રસંગો

સમયપત્રક

ધર્મશાળા તથા ભોજનશાળા

યોજનાઓ

નજીકના તીર્થ સ્થળો

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી,

મુ.પો. શેરીસા- પીન- 382721 જિ. ગાંધીનગર

ફોનનં- 02764 250126